Thu Jan 01 2026

Logo

White Logo

ઓપરેશન સિંદૂર અંગે અયોધ્યામાં બોલ્યા : રાજનાથસિંહ, કહ્યું  અધર્મનો અંત જરૂરી

18 hours ago
Author: chandrakant kanojia
Video

અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે  ભગવાન રામ વિનમ્ર, મર્યાદા પુરષોત્તમ અને કરુણામય છે. પરંતુ અધર્મનો  અંત  જરૂરી છે.  તેમણે કહ્યું, ઓપરેશન સિંદૂર દરમિયાન અમે ભગવાન રામ પાસેથી આ પ્રેરણા લીધી હતી.

સંઘર્ષની પરિસ્થિતિઓમાં પણ શિષ્ટાચાર જાળવ્યો 

રાજનાથ સિંહે કહ્યું કે વિદેશી આક્રમણકારોએ વારંવાર સનાતન પરંપરાઓને નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો હતો.  પરંતુ આજે રામ મંદિર પર લહેરાતો ભગવો ધ્વજ સભ્યતાની સાતત્યનો સંદેશ આપે છે. તેમણે કહ્યું કે જેમ ભગવાન રામનું લક્ષ્ય રાવણને મારવાનો નહીં પરંતુ અધર્મનો અંત લાવવાનો હતો. તેવી જ રીતે  ભારતનું લક્ષ્ય આતંકવાદી અને તેમના સમર્થકોને સંતુલિત કાર્યવાહી દ્વારા પાઠ ભણાવવાનું હતું. તેમણે કહ્યું કે આધુનિક ભારત સંઘર્ષની પરિસ્થિતિઓમાં પણ શિષ્ટાચાર જાળવી રાખે છે.

રામ જન્મભૂમિ આંદોલન સામાજિક આંદોલનોમાંનું એક

જ્યારે રામ જન્મભૂમિ આંદોલન પર બોલતા રાજનાથ સિંહે કહ્યું કે તે વિશ્વના સૌથી મોટા સામાજિક આંદોલનોમાંનું એક હતું. જે સદીઓથી ચાલી રહ્યું હતું. આ આંદોલન દરમિયાન  સંતો, ઋષિઓ અને ભક્તોએ જીવ ગુમાવ્યા,  ધરપકડો વહોરી  અને દમનનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું, ઇતિહાસ સાક્ષી છે કે સમય બધાને ન્યાય આપે છે. જે લોકો રામ અને ધર્મ સાથે ઉભા રહ્યા તેઓ આજે પણ દેશની સેવા કરી રહ્યા છે.

ભારતીય સમાજના માનસમાં આધ્યાત્મિક પુનરુત્થાન

તેમણે રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ નિમિત્તે  હાજરી અને ધન્યતા અનુભવી. તેમજ કહ્યું કે રામ લલ્લાને તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન જોવા  તેમની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક હતી. તેમણે કહ્યું કે આ ફક્ત મૂર્તિની સ્થાપના જ નહીં પરંતુ ભારતીય સમાજના માનસમાં આધ્યાત્મિક પુનરુત્થાન છે.