Thu Jan 01 2026

Logo

White Logo

ગુજરાતમાં કમોસમી વરસાદના વળતર પેટે ખેડૂતોને : રૂપિયા  8516 કરોડથી સહાય ચૂકવાઈ

23 hours ago
Author: chandrakant kanojia
Video

ગાંધીનગર : ગુજરાતમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા. જે પૈકી આજની સ્થિતિએ કુલ 29. 30 લાખ ખેડૂતોને કુલ રૂપિયા  8516 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. 

ટેકાના ભાવે ખરીદી શરૂ 

આ ઉપરાંત  પ્રવક્તા મંત્રીએ રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યના 6.79 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા 10,698 કરોડથી વધુના મૂલ્યના કુલ 14.91  લાખ મેટ્રિક ટનથી વધુ જથ્થાની ખરીદી કરવામાં આવી છે. જેની સામે અત્યાર સુધીમાં 4.16 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ. 6573 કરોડથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું છે.

14.18 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરાઈ

જે અંતર્ગત આજ સુધીમાં રાજ્યના 6. 26 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 10,300 કરોડથી વધુના મૂલ્યની કુલ 14.18 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરાઈ છે. જેની સામે અત્યાર સુધીમાં 3.89 લાખ ખેડૂતોને કુલ રૂ. 6362 કરોડથી વધુની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે.