Wed Jan 07 2026

Logo

White Logo

કચ્છના કેટલા ખેડૂતો પાસેથી સરકારે કેટલા મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી ? : ---

3 days ago
Author: MayurKumar Patel
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ ગુજરાત સરકાર દ્વારા ખરીફ પાક હેતુ વર્ષ ૨૦૨૫-૨૬માં મગફળી માટે રૂ. ૭૨૬૩, મગ માટે રૂ. ૮૭૬૮, અડદ માટે રૂ. ૭૮૦૦, અને સોયાબીન માટે રૂ. ૫૩૨૮ પ્રતિ કિવન્ટલ ટેકાનો ભાવ જાહે૨ ક૨વામાં આવ્યા હતા. જે અંતર્ગત ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કરેલું હોય અને ટેકાના ભાવે વેચાણ ક૨વા માંગતા હોય તે ખેડૂતોનું ઓનલાઈન ૨જિસ્ટ્રેશન નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પ૨ કરાવવામાં આવ્યું હતું.

ખરીફ ૨૦૨૫-૨૬માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ કચ્છ જિલ્લામાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ગત તા.૦૯/૧૧/૨૦૨૫થી કચ્છના ૮ તાલુકામાં ખોલવામાં આવેલાં ૧૦ સેન્ટરોમાં રાજ્ય સરકાર દ્વારા ખરીદી ચાલુ કરવામાં આવી હતી.

મગફળી પાકમાં ૧૩૯૪૬ ખેડૂતો દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, તેમાથી ૧૩૯૪૬ ખેડૂતોને ઓનલાઇન પ્લેટફોર્મ પર ખરીદી માટે જાણ કરવામાં આવી હતી જેમાંથી ૯૬૨૮ ખેડૂતો દ્વારા ૨૨૪૧૮.૯૭ ટન મગફળીનું વેચાણ કરવામાં આવ્યું છે. આ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા રૂ ૧૬૨૮૨.૯૧ લાખની ચુકવણીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. મગ, અડદ અને સોયાબીન પાકમાં કુલ ૮૦૪ ખેડૂતો દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન થયું હતું. જે અતર્ગત ૮૦૪ ખેડૂતોને ખરીદી માટે જાણ કરવામાં આવી હતી.

૨૧૮ જેટલા ખેડૂતો દ્વારા ૩૩૯.૬ ટનનું વેચાણ કરવામાં આવ્યું છે. આ તમામ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૦૨.૪૩ લાખની ચુકવણીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે.